OH MY GOD! 2
GOD vs Dark Politics
By
Parth J. Ghelani
E-Mail-Parthghelani246@gmail.com
https://www.instagram.com/parthjghelani/
Dedicated to
My parents, my family n Audience
Disclaimer
ALL CHARECTERS AND EVENT DEPICTED IN THIS STORY IS FICTITIOUS.
ANY SIMILARITY ANY PERSON LIVING OR DEAD IS MEARLY COINCIDENCE.
આ વાર્તા અને તેના દરેક પાત્ર કાલ્પનિક છે,તથા કોઈ પણ જીવિત અથવા મૃત વ્યક્તિ સાથે તેઓનો કોઈ સંબંધ નથી.અને અમારો મુખ્ય ઉદેશ્ય દર્શકો ને મનોરંજન પૂરું પાડવાનો છે.
***
હજારો વર્ષો પહેલા ની આ વાત છે.ભગવાને પ્રેમ ને ફેલાવવા માટે એક સરસ મઝાની દુનિયા બનાવી જેને આપણે લોકો પૃથ્વી ના નામ થી ઓળખીયે છીએ.દુનિયા તો બની ગઈ પરંતુ પછી હવે આ પ્રેમ ને ફેલાવવો કઈ રીતે??આ સવાલ ભગવાનને સતાવતો હતો અને થોડા જ સમય માં તેનું પણ નિરાકરણ નીકળી ગયું,અને તે હતું માણસો અને પ્રાણીઓ ને રચવાનું.
થોડાજ મહિનાઓ માં ભગવાને માણસ અને પ્રાણીઓ નું સર્જન કર્યું.સર્જન કર્યા ના થોડાજ દિવસોમાં ભગવાને આ માણસો અને પ્રાણીઓ ને પૃથ્વી પર પણ મોકલી દીધા,અને તેઓના રક્ષણ માટે ભગવાને પૃથ્વી પર જંગલો,નદીઓ,પહાડો,તળાવો જેવી કુદરતી વસ્તુઓ માણસ અને પ્રાણીઓ ના રક્ષણ માટે બનાવી.થોડા વર્ષો સુધી બધાયે જ પોતપોતાનું કામ બરાબર રીતે કર્યું. પરંતુ પ્રાણીઓ એ તો પ્રેમ ફેલાવવાનું કામ શરુ જ રાખ્યું ,પરંતુ ત્યારબાદ માણસ સ્વાર્થી બનતો ગયો અને પ્રેમ ને ફેલાવવાને બદલે બીજા કામ કરવા લાગ્યો..અને પૃથ્વી ને વિનાશ ની તરફ લઇ જવા લાગ્યો,અને પૃથ્વી પર થતા આવા દુષણ ને અટકાવવા માટે બ્રહમાં જી એ આજે મિટિંગ બોલવી હતી.
મીટીંગ નો સમય સવારે ૧૧:૦૦ વાગ્યા નો હતો અને મીટીંગ માં મહાદેવ,વિષ્ણુજી,ઇન્દ્ર દેવ વગેરે મીટીંગ માં ૧૦:૩૦ વાગતા જ પંહોચી ગયેલા અને બધા જ અંદરો અંદર વિચારતા હતા કે આમ અચાનક જ બ્રહ્માજી એ આં મીટીંગ શા માટે બોલાવી??૧૧:૦૦ વાગતા જ બ્રહમાં જી એ કોન્ફરન્સ રૂમ માં એન્ટ્રી કરી અને બધા એક સાથે ઉભા થઈને બોલ્યા ગુડ મોર્નિંગ બ્રહ્માજી.
ગુડ મોર્નિંગ,ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ.પ્લીઝ સીટ.બ્રહામાંજી બોલ્યા અને તેની સીટ પર બેસી ગયા.
હું,તમારી બધાની આ તાત્કાલિક ધોરણે યોજવામાં આવેલી મીટીંગ માટે માફી માંગું છુ.બ્રહ્માજી બોલ્યા
અરે,તેમાં માફી થોડી માંગવાની હોય.અમને બધાને જ ખબર છે કે તમે કોઈ કારણ વગર ક્યારેય તત્કાલીક મીટીંગ માં હાજર રહેવા માટે નથી કહેતા.પરંતુ આજે એવી તો શું વાત થઇ ગઈ કે તમે આજે અમને લોકો ને અહીંયા તત્કાલીક બોલાવ્યા છે??બ્રહ્માજી.વિષ્ણુ ભગવાન બ્રહ્માજી તરફ જોઈને બોલ્યા
હાં,પ્રભુ બોલો ને તમે તો એવી કઈ મુંજવણ માં છો??મહાદેવ બોલ્યા
મને મુંજવણ માં આં પૃથ્વી પર રહેતા લોકો એ કરી દીધો છે. જુવો વિષ્ણુ જી ,જુવો અને તમે બધા પણ જુઓ,આં તુચ્છ માણસે પોતાના સ્વાર્થ માટે આ પૃથ્વી ની હાલત કેવી કરી નાખી છે.
હાં,બ્રહ્મા જી આપણે લોકો એ કેવા હેતુ થી આ પૃથ્વી નું સર્જન કરેલું અને આ માણસ તેનો કેવો ખરાબ રીતે ઉપયોગ કરે છે.મહાદેવ બોલ્યા
તો,પ્રભુ તમે હવે શું કરવા માંગો છો??ઇન્દ્ર દેવ બોલ્યા
આ ના નિરાકરણ માટે તો મેં તમને લોકો ને અહીં બોલાવ્યા છે.અને તે નક્કી કરવા માટે તો મેં આ મીટીંગ રાખેલી છે.બ્રહ્માજી બોલ્યા
મારા પાસે એક ઉપાય છે.મહાદેવ બોલ્યા
શું છે એ મહાદેવ??બધા એક જ સાથે બોલ્યા
આં પૃથ્વી પર રહેતા લોકો એ ન્યાય માટે કાનુન બનાવ્યા છે.અને તેઓ કાનુન ના નિયમ નું ઉલ્લંઘન નથી કરતા.મહાદેવ ફરી બોલ્યા
તો ???બ્રહ્માજી બોલ્યા
તો કઈ નહી,આપણે પણ એ લોકો ને તેણી જ ભાષા માં જ જવાબ આપીએ.મહાદેવ બોલ્યા
એટલે તમેં એક્જેટલી કરવા શું માંગો છો??બ્ર્હામાંજી થોડા મુંજાઈ ને મહાદેવ ની સામે જોઈને બોલ્યા
આપણે લોકો માણસ પર કેસ કરીએ અને તે લોકો ને તેના જ કાનુન દ્વારા સમજાવીએ.મહાદેવ બોલ્યા
તેના માટે આપણે લોકો ને પૃથ્વી પર કેસ લડવા માટે કોઈ વકીલ ની જરૂર પડશે.તેનું શું?બ્ર્હામાંજી બોલ્યા
અને આપણા માંથી પણ કોઈ એક ને તે વકીલ ની સાથે રહેવું પડશે.વિષ્ણુ જી બોલ્યા
પણ,અહીંયા તો આપડે બધા પાસે પુરતો સમય નથી તો પછી અહીંયા થી કોણ જશે??ઇન્દ્ર દેવ બોલ્યા
મારા પાસે એક વ્યક્તિ છે.જેને આપણે લોકો પૃથ્વી પર મોકલી શકીએ.મહાદેવ બોલ્યા
કોણ છે??બધા એક જ સાથે બોલ્યા
કૃષ્ણ.મહાદેવ બોલ્યા
અરે,તેને ના મોકલાય તે તો કામ ને વધુ બગાડશે.ઇન્દ્ર દેવ બોલ્યા
નહી,બગાડે.એ બધી જ જવાબદારી મારી.મહાદેવ બોલ્યા
ક્યાં છે??એ બોલાવો તેને.વિષ્ણુ જી બોલ્યા
[આગળ ની પાંચ મીનીટ માં કૃષ્ણ ત્યાં આવે છે]
બોલો,પ્રભૂ મને કેમ,આમ અચાનક યાદ કર્યો??કૃષ્ણ આવીને તરતજ બોલ્યા
તારું એક કામ છે.મહાદેવ બોલ્યા
કેવું કામ??કૃષ્ણ એ મહાદેવ ને પૂછ્યું
[મહાદેવે મીટીંગ માં થયેલી બધી જ વાત કૃષ્ણ ને કરી.]
ઓકે,એ કામ હું કરીશ.પણ મારી રીતે જ કરીશ.કૃષ્ણ બોલ્યા
ઓકે,એક બીજું કામ ત્યાના સારા વકીલ ને શોધવાનું છે.વિષ્ણુ જી બોલ્યા
તો.સમજો વકીલ આપણ ને મળી ગયો.કૃષ્ણ બોલ્યા
મતલબ??બ્રહમાં જી બોલ્યાં
એક વકીલ મારી નઝર માં છે અને તે આ કામ કરવા માટે ના પણ કહી શકે.કૃષ્ણ બોલ્યા
કોણ?? બધા એક સાથે બોલ્યા
તમે પેલા કાનજી લાલજી મહેતા નો ઓળખો છો??કૃષ્ણ એ કીધું
હાં,કે જેને ૪ વર્ષ પહેલા આપણા પર કેસ કરેલો તે ને??મહાદેવ બોલ્યાં
હાં,તે જ.કૃષ્ણ બોલ્યાં
પણ,તે વકીલ તો નથી.વિષ્ણુ જી બોલ્યાં
તે નથી,પરંતુ તેનો છોકરો અર્જુન મહેતા જે એક સારો એવો વકીલ છે.કૃષ્ણ એ કીધુ
અરે,વાહ ખુબજ સરસ કાનુડા.બ્ર્હામાંજી બોલ્યાં
તો હવે,આજ થી જ તારું કામ ચાલુ કરી દે.મહાદેવ બોલ્યાં
જી,પ્રભુ.હું હમણાં જ પૃય્હ્વી પર જાવ છુ.અને મારું કામ ચાલુ કરું છુ.કૃષ્ણ બોલ્યાં
***
બેટા,પૂર્વી દરવાજ ખોલતો કોઈક આવ્યું હોય એવું લાગે છે.ઘર માં રાખેલ બેલ નો અવાજ સંભળાતા જ કાનજી ભાઈ બોલ્યાં
જી,પપ્પા.પૂર્વી એ તેના પપ્પા ને કીધુ અને દરવાજા પાસે જઈને દરવાજો ખોલ્યો
નમસ્તે,કાનજી ભાઈ છે??મેં દરવાજા પાસે ઉભી રહેલી પૂર્વી ને પૂછ્યું
જી,તમે કોણ??પૂર્વી એ પૂછ્યું
મારું નામ કાનજી છે.
અંદર,આવો.તે અંદર જ બેઠા છે.પૂર્વી ઘર ની અંદર તરફ જતા બોલી
નમસ્તે,કાનજી ભાઈ.. નમસ્તે.મેં જઈને તરત જ કાનજી ભાઈ ને કહ્યું અને બે મીનીટ મને જોઈને બોલ્યાં..
માખણચોર,નટખટ,ગોપીઓ ના વહાલા,રાધા નો પ્રિય,કંસ ને હણનાર અને આ કાનજી નો સુદામા બાદ નો મિત્ર કાનુડા તું???કાનજી ભાઈ બોલ્યાં
હાં,કાનજી ભાઈ હું જ છુ.મેં કાનજી ભાઈ ને કીધું
એ મારા તરફ આવીને તરત જ મને ગળે લાગ્યા.અને મને પૂછ્યું કેમ આજે અચાનક??આ મિત્ર ને મળવા માટે આવ્યો કે પછી ફરી કોઈ એ કેસ કર્યો છે તારા પર??
ના,કોઈ એ મારા પર કેસ નથી કર્યો.પરંતુ હું એક કામ લઈને પૃથ્વી પર આવ્યો છુ.મેં કાનજી ભાઈ ને કીધું
કેવું કામ??કાનજી ભાઈ એ પૂછ્યું
મારે એ કામ માં તમારી મદદ ની જરૂર છે,એટલા માટે હું તમારા પાસે આવ્યો છુ.મેં કાનજી ભાઈ ને કીધું
મદદ તો હું તારી કરવા માટે તૈયાર જ છુ.પણ કેવું કામ??કાનજી ભાઈ એ ફરી મને પૂછ્યું
પૃથ્વી ને બચાવવાનું કામ.મેં કાનજી ભાઈ ને કીધું
એટલે??એકઝેટલી કરવાન શું છે??કાનજી ભાઈએ મને પૂછ્યું
કેસ કરવાનો છે.મેં કીધું
કોના પર??કાનજીભાઈ એ પૂછ્યું
પૃથ્વી પર વસતા માણસ પર.મેં જવાબ આપ્યો
પણ શા માટે??તેણે મને પૂછ્યું
પૃથ્વી નો બગાડ કરવા બદલ,પૃથ્વી ને નુકશાન કરવા બદલ વગેરે…મેં કીધું
તો,આ કેસ કોના પર કરવાનો છે???કાનજી ભાઈ એ પૂછ્યું
તમારા લોકો ના લીડર પર.મેં કીધું
કોના પર?અમારા લીડર પર?એટલે નેતા પર??પોલીટીક્સ??કાનજીભાઈ એ એકજ સાથે આ બધું બોલી ગયા
પરંતુ તું ઈચ્છે તો તું એક જ સેકન્ડ માં બધું કરી શકે એમ છો,તો પછી આ બધું કરવાની શું જરૂર છે??કાનજી ભાઈ એ ફરી મને પૂછ્યું
તમારી વાત સાચી છે કાનજી ભાઈ.મહાભારત માં પણ હું ધારે તો એક જ જાટકે બધું પૂરું કરી શકતો હતો.પરંતુ હું બધા ને પોતપોતાના નિયમો થી હરાવવા માંગું છુ.મેં કીધું
એટલે??કાનજી ભાઈ એ પૂછ્યું
એટલે,એમ કે હું માણસો ને માણસ ના બનાવેલા નિયમો થી હરાવવા માંગું છુ.સમજ્યા??મેં કાનજીભાઈ ને મેં કીધું
તો,હવે હું કઈ રીતે મદદ કરી શકું??કાનજી ભાઈ એ મને પૂછ્યું
કાનજીભાઈ,મારે એક સારા અને ઈમાનદાર વકીલ ની જરૂર છે.જેના પર આપણે લોકો આંખ મીચી ને ભરોસો કરી શકીએ.મેં કીધું
વકીલ તો આપડો અર્જુન જ છે.કાનજી ભાઈ એ કીધું
તેથી જ તો હું તમારા પાસે આવ્યો છુ,કારણ કે મને બીજા કોઈ પર હવે ભારોસો નથી.મેં કીધુ.
તો અર્જુન ને ક્યારે વાત કરવી છે??કાનજી ભાઈ એ મને પૂછ્યું
હમણાં જ કરી એ,ક્યાં છે એ??મેં કીધું
પૂર્વી બેટા,અર્જુન ને બોલવ તો.કાનજીભાઈ પૂર્વી તરફ જોઈને બોલ્યા
બોલાવું છુ.પૂર્વી ઉભી થઈને ઉપર તરફ જતા જતા બોલી
આગળ ની પાંચ જ મીનીટ માં અર્જુન પોતાની રૂમ માંથી નીચે આવ્યો અને મારી બાજુ માં રહેલા સોફા પર બેસી ગયો.અને બોલ્યો,
હાં,બોલો પપ્પા.શું કામ છે??
બેટા,અર્જુન આમને મળ આં છે મારો જુનો મિત્ર કાનજી.જેને તારું કામ છે.કાનજી ભાઈ એ અર્જુન ને કીધું
હેલ્લો,મારુ નામ અર્જુન.અર્જુન મારા તરફ હાથ લંબાવીને બોલ્યો
વાસુદેવ કૃષ્ણ યાદવ.મેં મારું નામ અર્જુન સાથે હાથ મિલાવતા મિલાવતા કહ્યું
બોલો કૃષ્ણ,હું તમારી કેવી રીતે મદદ કરી શકુ??અર્જુન બોલ્યો
બેટા,તેને કોઈના પર કેસ કરવો છે અને તે કેસ તારે એમના તરફ થી લડવાન ઓ છે.કાનજી ભાઈ બોલ્યાં
કોના પર કેસ કરવાનો છે??અને શા માટે??અર્જુન બોલ્યો
બેટા તે આપણા રાજ્ય ના લીડર અંબિકા બેન તથા તેની જેવા બીજા રાજ નેતાઓ પર કેસ કરવા માંગે છે. કાનજી ભાઈ બોલ્યા.
પરંતુ શા માટે??અર્જુન બોલ્યો
આ ધરતી ને બરબાદ કરવા માટે.કાનજી ભાઈ બોલ્યાં
તે લોકો કોઈ નાના માણસ નથી તેના પર કેસ કરવા માટે અને તેની સામે લડવા માટે એકદમ પાક્કા સબુતો ની જરૂર પડશે.છે તમારી પાસે?? અર્જુન મારી તરફ જોઈને બોલ્યો.
હાં,છે મારી પાસે.મેં અર્જુન ને કીધું
તો હું તે જોઈ શકું?અર્જુન ને મને પૂછ્યું
મેં એક DVD તેના તરફ લંબાવીને આપી અને કીધું લે આ જો.અને અર્જુન ને તે શરુ કરી અને અમે ત્રણેયે જોવાનું શરુ કર્યું,
***
અમિત આજ નો આપનું શિડ્યુલ શું છે??અંબિકા બેન પોતાના આસિસ્ટન્ટ અમિત તરફ જોઈને બોલ્યાં
મેડમ,આજે આપણી મીટીંગ છે.અમિત બોલ્યો
શેના માટે??અંબિકા બેન બોલ્યાં
ગીર ના જંગલ ની ડીલિંગ માટે.અમિત બોલ્યો
ઓકે,અને તે લોકો કેટલા વાગે મીટીંગ માટે આવવાના છે??અંબિકા બેન અમિત તરફ જોઈને બોલ્યાં
મેડમ, ૪:૦૦ વાગે તે લોકો આવવાના છે.અમિત બોલ્યો
ઓકે,ત્યાં સુધી માં અપણા બીજા જે કામ છે તે પુરા કરી લે.અંબિકા બેન અમિત તરફ જોઈને બોલ્યાં
***
[૪:૦૦ વાગે]
સ્વાગત છે તમારું,ભારત માં સ્વાગત છે.અમિત ડીલિંગ માટે અવેલા ફોરેનર ને આવતા તેણી તરફ આગળ જતા જતા બોલ્યો.
થેંક યુ,થેંક યુ મી.થોમસ અને મી.ક્યુરી એક સાથે બોલ્યાં
યુ આર મોસ્ટ વેલકમ.અમિત તે બંને તરફ જોઈને બોલ્યો અને તેની પાછળ આવો એવું કહ્યું,અને અંબિકા બેન ની ઓફીસ તરફ ગયો.
વેલકમ ,વેલકમ..અંબિકા બેન તે બંને ની તરફ જોઈને બોલ્યાં
થેંક યુ,થેંક યુ મી.થોમસ અને મી.ક્યુરી એક સાથે બોલ્યાં અને પાસે રહેલી ખુરશી પર બેઠા
તો,તમારી મુસાફરી કેવી રહી??અંબિકા બેન એ બંને ને પૂછ્યું
નોત અ બેદ.મી.થોમસ બોલ્યાં
હવે,મીટીંગ શરુ કરીએ અમારે થોડી ઉતાવળ છે.મી.ક્યુરી અંબિકા બેન તરફ જોઈને બોલ્યા
હાં,જરૂર કેમ નહી.અંબિકા બેન બોલ્યાં
અંબિકા બેન અમારે લોકો એ જલ્દી ને જલ્દી જમીન જોઈએ છે એટલે જેમ બને તેમ અમને એ જમીન આપો.મી.ક્યુરી બોલ્યા
તમને ખુબજ જલ્દી તમારી જમીન મળી જશે,પરંતુ તમેં અમને અમારો ભાગ ક્યારે આપશો??અંબિકા બેન બોલ્યા
તમને તમારો ભાગ બહુજ જલ્દી મળી જશે પરંતુ અમને એ જમીન કયારે મળશે??કોઈ ચોક્કસ સમય આપો.મી.થોમસ બોલ્યાં
ચોક્કસ સમય તો હું ના કહી શકું અને હજુ થોડો સમય તો લાગશે કારણ કે હજુ તો ત્યાં જંગલ છે અને તેને કાપવું પડશે અને તેના માટે થોડો સમય લાગશે.અંબિકા બેન બોલ્યા
ઓકે,પરંતુ જલ્દી મળે એવા પ્રયત્નો કરો.મી ક્યુરી બોલ્યા
શ્યોર.અમિત બોલ્યો
તો હવે અમે લોકો જઈએ છીએ.મી થોમસ બોલ્યા અને તે બંને ઉભા થઈને ચાલ્યા ગયા ત્યારબાદ અમિત બોલ્યો,
પરંતુ ત્યાં જે જાનવરો રહે છે તેનું શું??
અરે,આ આપડે પહેલીવાર થોડી કરીએ છીએ,જેવું આના પહેલા કરેલું તેવું આ વખતે પણ કરી લેવાનું.અંબિકા બેન બોલ્યા
પરંતુ,મને અંદર થી થોડો ડર લાગે છે.અમિત બોલ્યો
અરે,તું વધારે ટેન્શન ના લે આ કામ હું સાંભળી લઈશ ઓકે.અંબિકા બેન બોલ્યા
***
તો જોયુંને તમે લોકો એ??મેં કાનજીભાઈ અને અર્જુન તરફ જોઇને કહ્યું
આ લોકો માણસો ની સાથે તો રમતો રમે જ પરંતુ જાનવરો ને પણ નથી છોડતા.કાનજીભાઈ બોલ્યા
હમમમ.અર્જુને ટૂંક માં જ ઉતર આપ્યો
તો,હવે તારે બીજા કોઈ પુરાવા ની જરૂર છે??મેં અર્જુન ને પૂછ્યું
ના,અન થી મોટો પુરાવો બીજો તો શું હોઈ શકે.અર્જુને કહ્યું અને સાથે સાથે એ પણ કહ્યું કે હવે આપણે લોકો ને ક્યારે નોટીસ મોકલવી છે??
આ અઠવાડિયા સુધીમાં દેશ માં જેટલા પણ લીડર છે એ બધા ને જ નોટીસ મોકલાવી દો.મેં અર્જુન ને કહ્યું
ઓકે,જરૂર થી મોકલી આપીશ.અર્જુને મને કહ્યું
તૈયાર થઇ જા હવે આ કૃષ્ણ અને પોલીટીક્સ વચ્ચે ના નવા યુદ્ધ માટે…કાનજીભાઈ બોલ્યા
હવે હું અને તું મળીને ફરીવાર દોહરાવીશું મહાભારત.મેં અર્જુન તરફ જોતા જોતા કહ્યું
***
હેલ્લો,અમિત તને કોર્ટ તરફ થી કોઈ નોટીસ મળી છે??અંબિકા બેને અમિત ને ફોન પર ગભરાયેલા અવાજે પૂછ્યું
હાં મને કોર્ટ તરફ થી નોટીસ મળી અને તમને પણ??અમીતે સામે થી ગભરાયેલા અવાજે જ કહ્યું
હાં,અને એક કામ કર તું જલ્દી થી મારી ઓફીસ પર અવીજા.અંબિકા બેને અમિત ને કીધું
અમિત અંબિકા બેનની ઓફિસ પર આવ્યો અને જોયું તો ત્યાં બીજા રાજય ના લીડરો પણ આવીને બેઠા હતા કારણ કે તે બધા ને પણ નોટીસ મળી હતી.
હવે શું કરીશું??ત્યાં બેઠેલા લોકો માંથી એક બોલ્યો
હવે શું??નોટીસ જ મળી છે
શું??અમિત બોલ્યો
હાં,આપણે લોકો પણ કેસ લડીશું અને અમિત એક કામ કર તું જલ્દી ને જલ્દી આપણા વકીલ કરણ ને ફોન કર અને ઓફીસ પર બોલાવ.અંબિકા બેન અમિત તરફ જોઇને બોલ્યા.
અમિત કરણ ને ફોન કરીને ઓફીસ પર બોલાવે છે અને આગળ ની ૧૦ જ મિનીટ માં તે ઓફીસ પર આવી પહોંચે છે.
આવ કરણ આવ અને બેસ.અંબિકા બેન કરણ તરફ જોઇને બોલ્યા
શું વાત છે??કેમ આટલો જલ્દી મને બોલાવ્યો??કરણ આવતા વેત જ બોલ્યો
અરે,અમારા બધા પર કોર્ટ તરફ થી નોટીસ આવી છે.અમિત બોલ્યો
પરંતુ કોણે??અને શા માટે કેસ કર્યો છે???કરણ બોલ્યો
અરે,તારા પેલા દુર ના રિશ્તેદાર કાનજીભાઈ ના સુપુત્ર એ નોટીસ ફટકારી છે.અંબિકા બેન બોલ્યા
પરંતુ શા માટે??કરણ બોલ્યો
અરે તેના ક્લાઈન્ટ ની પ્રોપર્ટી ની ચોરી કરવાના કેસ માં.અંબિકા બેન બોલ્યા
તમારા બધા ની પર જ આ ગુનો જ છે?કરણ બીજા ની તરફ જોઇને બોલ્યો
હાં.બધા જ એક સાથે બોલ્યા
મતલબ જેણે પણ તમારી તરફ કેસ કર્યો છે એ તમને બધાને જ ઓળખે છે??અને તમે લોકો એ ભેગા મળીને તેની પ્રોપર્ટી ની ચોરી કરી છે??કરણ બોલ્યો.
અરે અમે કોઈ જ તેને ઓળખતા પણ નથી અને આ છે કોણ એ પણ નથી ખબર.અંબિકા બેન બોલ્યા
કઈ વાંધો નહી ઓક્કે.આપને કોર્ટ માં જોઈ લઈશું તેને.કરણ બોલ્યો અને ચાલ્યો ગયો
***
[જે દિવસે કેસ હતો તેની આગળ ની રાત્રે હું,કાનજીભાઈ અને અર્જુન અગાશી પર બેઠા બેઠા વાતો કરી રહ્યા હતા]
અર્જુન કાલ માટે તું તૈયાર છે ને??કાનજીભાઈ એ અર્જુન ને પૂછ્યું
હાં,પપ્પા બિલકુલ તૈયાર છુ.અર્જુને જવાબ આપ્યો
બેટા,તને ખબર છે ને તારા ક્લાયન્ટ કોણ છે??કાનજીભાઈ એ અર્જુન ને પૂછ્યું
હાં,પપ્પા મને ખબર જ છે કે આ કાનજીભાઈ(કૃષ્ણ વાસુદેવ યાદવ) આપણા ક્લાયન્ટ છે.અર્જુન ને કાનજીભાઈ ને જવાબ આપ્યો.
હાં,પરંતુ તે કોણ છે એ તને ખબર છે??કાનજીભાઈ એ ફરી અર્જુન ને પૂછ્યું
હાં,એ તમારા નાનપણ ના મિત્ર છે.અર્જુને કાનજીભાઈ ને જવાબ આપ્યો
હું બધું જ સમજી ગયો હતો કે કાનજીભાઈ મારી સાચી ઓળખ આપવા જઈ રહ્યા હતા અને મેં પણ તેને રોક્યા નહિ કારણ કે તે મારા તરફ થી કેસ લડી રહ્યો છે તો તેને મારા વિષે પૂરી જાણકારી હોવી જોઈએ,આવું વિચારીને મેં કાનજીભાઈ ને આંખો વડે જ સંમતી આપી.
મારી સમંતિ મળતા ની સાથે જ કાનજીભાઈ અર્જુન તરફ જોઇને બોલ્યા,આ મારો દોસ્ત તો છે જ પણ સાથે સાથે તે આ દુનિયા નું સર્જન કરનાર સ્વયં કૃષ્ણ ભગવાન છે.
શું??અર્જુન ને કંઇક પોતાના કાન ને વિશ્વાસ ના હોય એ રીતે બોલ્યો.
હાં,આ કોઈ સામાન્ય માણસ નથી આ ભગવાન છે.કાનજી ભાઈ એ ફરી કીધું એટલે અર્જુને મારા તરફ જોયું અને મને આંખો થી જ પૂછ્યું એટલે મેં તેને મારું અસલી રૂપ બતાવ્યું.આ જોઇને અર્જુન તો બે ઘડી સ્તબ્ધ જ થઇ ગયો અને થોડી વાર પછી મને પૂછ્યું,
તમે તો આ લોકો ને એકજ સેકન્ડ માં હરાવી શકો એમ છો તો પછી આ કેસ કરવાની શું જરૂર છે??
કારણ કે હું આ લોકો ને તેના જ બનાવેલ કાયદા અને કાનુન ના નીયમો થી હરાવવા માંગું છુ.મેં અર્જુન ને જવાબ આપ્યો અને સાથે સાથે પૂછ્યું,
કાલ ના કેસ માટે તું તૈયાર છે ને?
હાં હમણાં સુધી થોડો ડર હતો પરંતુ હવે તો તમે મારી સાથે જ છો એટલે હવે મને કોઈ પણ પ્રકાર નો ડર નથી.અર્જુન બોલ્યો
સારું,તો હવે તું જલ્દી થી સુઈ જા.કાનજી ભાઈ એ કીધું
ઓકેય,ગુડ નાઈટ.અર્જુન બોલ્યો અને ટેરેસ પર થી નીચે પોતાના રૂમ માં જઈને સુઈ ગયો.
***
બીજે દિવસે સવારે હું ,કાનજીભાઈ અને અર્જુન પોતાના વકીલ ના યુનિફોર્મ માં અદાલત પર પહોંચ્યા અને જોયું તો અદાલત ની બહાર મીડિયા વાળા ઓ ની લાઈનો લાગી ગઈ હતી અને અર્જુન ને સવાલો પૂછવા લાગી કે તમે શા માટે આપણા દેશ ના નેતાઓ પર કેસ કર્યા??અને અર્જુન જવાબ માં બોલ્યો,
No Comments,જે કંઇ પણ હશે તે અદાલત માં ખબર પડી જશે એટલું કહીને નીકળી ગયો અને અદાલત્ત માં અંદર ચાલ્યો ગયો.
હું અને કાનજીભાઈ હજુ બહાર જ ઉભા હતા અને થોડી વાર માં તો અદાલત ની બહાર પોલીસ ની કેટલીક જીપો એક જ લાઈન માં આવી અને તેની પાછળ એક મોટી સ્કોર્પિયો આવી જેમાંથી અંબિકા બહેન અને અમિત તથા તેની પાછળ ની બીજી સ્કોર્પિયો માંથી બીજા નેતાઓ ઉતર્યા આ જોઇને બધા જ મીડિયા વાળા અંબિકા બહેન તરફ ગયા અને તેને પૂછવા લાગ્યા,
પરંતુ તેઓ કંઇજ બોલ્યા નહિ અને તેઓ સીધા જ અદાલત ની અંદર ચાલ્યા ગયા અને તેની પાછળ અમિત અને બીજા નેતાઓ પણ ગયા.
કેસ શરુ થવા ના થોડા સમય પહેલા જ અમે બધા જ અદાલત માં જઈને ગોઠવાઈ ગયા અને બેસી ગયા થોડી વાર માં જજ સાહેબ આવ્યા એટલે કોર્ટ મા હાજર એવા બધા એ જ ઉભા થઈને તેનું સ્વાગત કર્યું અને પછી બેસી ગયા.
થોડી વાર રહીને જજ સાહેબ બોલ્યા,
કેસ ની કાર્યવાહી શરુ કરો.આટલું સાંભળતા ની સાથે જ અંબિકા બહેન નો વકીલ કરણ ઉભો થયો અને બોલ્યો,
માનનીય જજ સાહેબ તમને તો ખબર જ હશે કે અંબિકા બહેન એ કોણ છે??પરંતુ આપણા આ નવા બનેલા વકીલ સાહેબ ને કદાચ ખબર નથી એટલે જ તો તેણે આ રેપ્યુટેડેડ નેતા પર ચોરી ના આરોપ સાથે કેસ કર્યો છે.
આરોપ નથી મી.કરણ આ આરોપ નથી.તેણે ચોરી કરી છે એટલે જ તેમના પર કેસ કરવામાં આવ્યો છે.અર્જુન બોલ્યો
પરંતુ મારું તો એવું માનવું છે કે તેઓ તો આપણા રાજ્ય ના લીડર છે તો તેઓ શા માટે ચોરી કરે??કરણ બોલ્યો
ચોરી કરી છે એટલે કરી છે.અરે આ દુનિયા માં નેતાઓ જેટલી ચોરી ઓ કોઈ જ નથી કરતા.અર્જુન બોલ્યો
ચાલો આપણે માની લઈએ કે તેઓ એ ચોરી કરી છે,પરંતુ શાની ચોરી કરી છે??કરણ બોલ્યો
તેઓ એ મારા ક્લાયન્ટ ની પ્રોપર્ટી નો ઉપયોગ નહિ પરંતુ દુરઉપયોગ કર્યો છે અને તેનું ભાડું પણ નથી ચુકવ્યું.અર્જુન બોલ્યો
કોણે ભાડું નથી ચુકવ્યું?? અને કોણ છે તમારા ક્લાયન્ટ??કરણ બોલ્યો
મારા ક્લાયન્ટ શ્રી કૃષ્ણ વાસુદેવ યાદવ છે,જે જેને આપણે લોકો ભગવાન તરીકે ઓળખીએ છીએ.અર્જુન બોલ્યો
અરે,તમારો પ્રોબ્લેમ શું છે??અર્જુન ભાઈ.આજથી પાંચ વર્ષ પહેલા તમારા પપ્પા એ ભગવાન પર કેસ કર્યો હતો અને આજે તમે તેના તરફ થી કેસ લડી રહ્યા છો,અને મને એક વાત જણાવો કે તમારા આ ક્લાયન્ટ ની કઈ પ્રોપર્ટી નો દુર ઉપયોગ કર્યો છે આપણા અંબિકા બહેને??કરણ બોલ્યો
તેઓ એ મારા ક્લાયન્ટ ની પ્રોપર્ટી એટલે કે પૃથ્વી નો દુરુપયોગ કર્યો છે તથા ભાડું પણ નથી ચુકવ્યું.અને હાં એક બીજી વાત કે મારા ક્લાયન્ટ ને ભાડા માં કોઈ પૈસા કે રૂપિયા ની જરૂર નથી.અર્જુન બોલ્યો
તો શું જોઈએ છે તમારા ક્લાયન્ટ ને??કરણ બોલ્યો.
મી.કરણ તમારી પાસે કાર તો હશે જ??અર્જુન ને કરણ ને પૂછ્યું
હાં ,છે ને.કરણ બોલ્યો
કઈ કાર છે??અર્જુને ફરી પૂછ્યું
હોન્ડા સીટી.કરણ બોલ્યો
હવે માનો કે હું તે કાર તમારી પાસે થી તે એક દિવસ માટે લઇ જાવ છુ અનેતમને જ્યારે રીટર્ન કરું ત્યારે હોન્ડાસીટી ને બદલે વેગેનાર આપું તો ચાલે???અર્જુને કરણ ને પૂછ્યું
ના,ચાલે.કરણ બોલ્યો
આ બધું સાંભળીને જજ સાહેબ બોલ્યા અહીં આપણે અદાલત માં છીએ કોઈ કાર એક્સ્પો માં નથી તો કેસ ને રીલેટેડ જ વાત કરો.
જી જજ સાહેબ.અર્જુન બોલ્યો અને અર્જુને કરણ ને પૂછ્યું
કેમ??
મને મારી જે કાર હતી તે જ જોઈએ.કરણ બોલ્યો
નોટ કરજો જજ સાહેબ કરણ ની વાતો.અર્જુન જજ સાહેબ તરફ જોઇને બોલ્યો
એટલે મી.અર્જુન તમે શું સાબિત કરવા માંગો છો??કરણ બોલ્યો
એ જ કે તમને જેમ તમારી જ કાર જોઈએ છે એમ જ ભગવાન ને પણ તેમની પૃથ્વી જેવી આપી હતી તેવી જ જોઈએ છે.અર્જુન બોલ્યો
પરંતુ તમે કેવી રીતે કહી શકો કે પૃથ્વી મારા ક્લાયન્ટ જ ખરાબ કરે છે??શું આપણે લોકો નથી કરતા??કરણ બોલ્યો
બધા જ રાજ્યો માં તે રાજ્યો ના લીડરો દ્વારા જ આ કામ સૌથી વધારે થાય છે અને આપણે ત્યાં આપણા આ નેતા ઓ ને લીધે.અર્જુન બોલ્યો
હાં,પરંતુ કેવી રીતે??કરણ બોલ્યો
હમણાં જ તે આ અંબિકા બહેન અને અમિતે કોઈ વિદેશ ના લોકો સાથે નવી ફેક્ટરી બનાવવા માટે જમીન આપી છે અને એ પણ ગીર ના જંગલ ની.અર્જુન બોલ્યો
પરંતુ ત્યાં તો જંગલ છે ને.કરણ બોલ્યો
હાં,પરંતુ તે ઓ આ જંગલ ને કાપી ને તે જમીન વિદેશ ના લોકો ને વેચવાના છે.અર્જુન બોલ્યો
તમારી પાસે શું સાબિતી છે??કરણ બોલ્યો
જજ સાહેબ હું મી.થોમસ ને બોલાવવા માગું છુ.અર્જુન બોલ્યો
ઇઝાઝ્ત હૈ.જજ સાહેબ બોલ્યા
મી.થોમસ આવ્યા અને તેની પાસે ભગવત ગીતા પર હાથ રાખીને કસમ ખવરાવવા માં આવી અને ત્યારબાદ અર્જુને તેને પૂછ્યું,
તો મી.થોમસ અમે લોકો એ જાણવા આતુર છીએ એ તમારી અને અમારા અંબિકા બહેન વચ્ચે હમણાં જે મીટીંગ થઇ હતી તે શેના માટે થઇ હતી??
જી અમે લોકો અમારી નવી ફેક્ટરી બનાવવા માંગીએ છીએ અને તેના માટે અમારેં ખુબજ વધારે જમીન ની જરૂર હતી એટલા માટે અમે ગીર ના જંગલ જમીન ખરીદવા માટે મીટીંગ થઇ હતી.મી.થોમસ બોલ્યા
તમારો આભાર મી.થોમસ તમે જઈ શકો છો.અર્જુને મી.થોમસ ને કહ્યું
તો સાંભળ્યું તમે જજ સાહેબ આ લોકો એ ફેક્ટરી માટે ઝમીન વેચી દીધી અને ત્યાં જંગલ છે તેને પણ તેઓ કાપશે એટલે અહિયાં ફેક્ટરી બનશે તો તેની આજુબાજુ માં રહેતા લોકો ને નુકશાન થશે અને બસ ચારે બાજુ વાતાવરણ પ્રદુષિત થઇ જશે અને આ પૃથ્વી પર વાતાવરણ ની ચાલી રહેલી સાઇકલ ખોરવાઈ જાય છે તેના કારણે શિયાળા માં જરૂર કરતા વધારે ઠંડી,ઉનાળા માં જરૂર કરતા વધારે ગરમી અને ચોમાસા માં સમયસર વરસાદ જ નથી આવતો અને આવે ત્યારે જરૂર કરતા વધારે જેનાથી ખેડૂતો ના પાક નાશ થઇ જાય છે અને તેઓ આત્મહત્યા કરવા માટે પ્રેરાય છે. અર્જુન બોલ્યો
તો તેમાં અમે શું કરીએ અમે લોકો તો લોકો ની ભલાઈ કરવા માટે આ બધું કરીએ છીએ.અંબિકા બહેન બોલ્યા
લોકો ની ભલાઈ માટે નહી પરંતુ તમારા ભલા માટે કરો છો.અર્જુન બોલ્યો
તેમાં અમને શું મળે,અરે ફેક્ટરી બને તો ત્યાં ના લોકો ને કામ મળશે.તેઓ બેરોઝ્ગર નહિ રહે.અંબિકા બહેન બોલ્યા
તમને તો માંગો એટલા પૈસા મળે તે વિદેશી કંપની તરફ થી.અર્જુન બોલ્યો
તો હવે તમારા ક્લાયન્ટ શું ઇચ્ચે છે?કરણ બોલ્યો
મારા ક્લાયન્ટ ઇચ્ચે છે કે આ લોકો પૃથ્વી ને બેલેન્સ કરે એટલે તેમણે જેવી પૃથ્વી માણસો ને આપેલી તેવી કરી દે.અર્જુન બોલ્યો
કેસ નો અંતિમ ફેસલો આગળ ની સુનવાઈ માં કરવામાં આવશે.જજ સાહેબ બોલ્યા
અદાલત માં આજ ની સુનવાઈ પૂરી થતા બધા જ બહાર આવ્યા પરંતુ મીડિયા વાળા ઓ હજુ પણ બહાર જ હતા અને તરત જ અંબિકા બહેન તરફ માઈક્રોફોન લઇ જઈને પૂછવા લાગ્યા,
મેમ તમે કશું કહેવા ઇચ્ચો છો??તમારા પર આટલો મોટો આરોપ મુકવામાં આવ્યો છે શું તે સાચો છે??
મીડિયા વાળા ઓ ના સવાલો સાંભળીને અંબિકા બહેન બોલ્યા,
આ બધું જ ખોટું છે,માત્ર ને માત્ર વકીલ સાહેબ પોતાની પબ્લીસીટી માટે આ કાવતરું ઘડ્યું છે.
હાં આ બિલકુલ સાચી વાત છે આ એક પબ્લીસીટી સ્ટંટ છે અને અમે લોકો પણ જોઈએ છીએ કે જો અમે પૃથ્વી ને બેલેન્સ નહિ કરીએ તો શું કરી શકશે આ ભગવાન.અમિતે મીડિયા વાળાઓ ને જવાબ આપ્યો અને તે અંબિકા બહેન ની સાથે ત્યાંથી નીકળી ગયો.
તો તમે જોઈ શકો છો કે આપણા દેશ ના લીડરો એવા અમિતભાઈ અને અંબિકા બહેન આપણા ભગવાન ને ખુલ્લેઆમ ચેલેન્જ આપી રહ્યા છે.હવે ,આ ચેલેન્જ નું કેવું પરિણામ આવે છે તે જાણવા માટે જોતા રહો સ્ટાર ન્યુજ કેમેરામેન પ્રદીપ કે સાથ.
***
હેય પ્રભુ આ લોકો એ તો ખુલ્લી ચેલેન્જ આપી છે હવેં શું કરીશું??અર્જુન મારા તરફ જોઇને બોલ્યો
હવે જે કઈ પણ કરીશ એ હું કરીશ તું બસ જોતો રહે હવે.મેં ગુસ્સ્સે થઈને અર્જુન ને જવાબ આપ્યો
પરંતુ હવે તમે શું કરવા ઇચ્ચો છો??અર્જુન બોલ્યો
હવે હું આ પૃથ્વી નો વિનાશ કરી દઈશ અને તેના પર રહેવા વાળા તમામ લોકો નો પણ વિનાશ કરી દઈશ.હું બોલ્યો
પરંતુ તમે તો અહીં પૃથ્વી ને બચાવવા માટે આવ્યા છો તેનું શું??અને આ વિનાશ માં બીજા માસુમ લોકો પણ મરી જશે તેનું શું??અર્જુને મને પૂછ્યું
તમારા જેવા સારા લોકો ને કારણે જ મેં ઘણીય વાર પૃથ્વી નો નાશ કરવાને બદલે તમને લોકો ને વોર્નિંગ આપી પરંતુ તમે લોકો જેવા છો એવાજ રહ્યા.મેં અર્જુન ને કીધું
પહેલા કયારે તમે વોર્નિંગ આપેલી??અર્જુને મને પૂછ્યું
તને યાદ હોય તો ૨૦૧૨ માં દુનિયા નો નાશ થઇ જશે એવી અફવા આવેલી તે,નીલોફર નું વાવાજોડું,ઉતરાખંડ,જમ્મુ કશ્મીર,જાપાન વગેરે વગેરે..આ બધું જ મેં કર્યું હતું તમને લોકો ને ડેમો બતાવ્યા હતા પરંતુ તમે લોકો ના સમજ્યા અને બસ ભગવાન બનવાના ચકકર માં પૃથ્વી નો બેફામ દુર ઉપયોગ કરીને સામે ચાલીને વિનાશ ને આમંત્રણ આપ્યું છે.મેં અર્જુન ને કીધું
પરંતુ તેમાં અમુક સારા લોકો છે તેનું શું??અર્જુને મને પૂછ્યું
આ પૃથ્વી ને નાશ કરવામાં બધાજ લોકો નો બરાબર નો હાથ છે એટલે આ વખતે તો ફાયનાલી નાશ કરી જ દેવો છે.મેં અર્જુન ને કીધું
કેવી રીતે??અર્જુને મને સવાલ કર્યો
અરે આ લોકો એક વૃક્ષ કાપે તો તમે સામે બીજા બે નવા વૃક્ષ રોપો.પરંતુ નહિ કોઈ ને કઈ જ કરવું નાથી અને કહ્યા કરવું છે ગરમી વધારે છે,ઠંડી વધારે છે,વરસાદ આવતો નથી.પરંતુ હવે ફાયનાલી આ વખતે દુનિયા નો નાશ કરીને જ રહીશ.મેં અર્જુન ને કહ્યું
***
બીજે દિવસે હું,અર્જુન અને કાનજીભાઈ ટીવી જોઈ રહ્યા હતા તો તેમાં સમાચાર આવ્યા કે આ દેશ માં તથા વિદેશ માં જેટલા પણ પોલીટીક્સ ની સાથે જોડાયેલા લોકો છે તે બધાની ઘર સહીત ની જેટલી પણ પ્રોપર્ટી છે તે બધા નો જ ભયંકર ભૂકંપ માં નાશ થઇ ગયો છે.આ ન્યુજ જોતા ની સાથે જ અર્જુને અને કાનજીભાઈ એ મારી તરફ જોયું.
તો તમને શું લાગે છે કે આ ભગવાન ને આપેલી ખુલ્લી ચુનોતી ને કારણે માત્ર આ પોલીટીક્સ વાળાઓ ના જ ની પ્રોપર્ટી નાશ પામી હશે.ટીવી માંથી ટીવી રિપોર્ટર બોલી
(અર્જુન ની મનોગત)
ધીરે ધીરે હવે ભૂકંપ નું જોર વધવા લાગ્યું,નદીઓ અને દરિયો માં પાણીઓ વધવા લાગ્યુ અને સાંજ સુધી માં તો ચારે બાજુ બસ ભાંગી ને ભુક્કા થઇ ગયેલી બિલ્ડીંગો,તથા તેની ઉપર આગ ના ગોળાઓ જે પણ ચેનલ કરો બસ આ એક જ સમાચાર આવી રહ્યા હતા પરંતુ અહીં અમારા રાજ્ય માં માત્ર ને માત્ર પેલા અંબિકા બહેન અને અમિતભાઈ તથા બીજા પોલીટીક્સ ના લોકો ની પ્રોપર્ટી જ નાશ પામી હતી અને આવતી કાલે કોર્ટ માં પણ જવાનું હતું અને મને ખબર હતી કે આ બધું શા માટે થઇ રહ્યું છે એટલે મેં કૃષ્ણ ને મનાવવા માટે વાત કરી,
બસ કરો હવે ભગવાન જો હજુ પણ આ બધું ચાલુ રહેશે તો આ દુનિયા માં રહેલા સારા માણસો પણ મારી જશે.મેં કૃષ્ણ ભગવાન ને કીધુ
જો અર્જુન આ બધું હવે ચાલુ થઇ ગયું છે અને તેને હું ના અટકાવી શકું અને અટકાવવા ની એક જ શરત છે જો પેલા પોલીટીક્સ વાળા આ પૃથ્વી ને બેલેન્સ કરવાની વાત માને.કૃષ્ણ એ મને કીધું
તે લોકો ને હું મનાવીશ.મેં કૃષ્ણ ને કીધું
***
(આગળ ના દિવસે અદાલત માં)
કેસ કી કાર્યવાહી શરુ કરી જાયે.કોર્ટ માં જજ સાહેબ આવીને તરત જ બોલ્યા
જજ સાહેબ મારી તમને એક વિનંતી છે કે હવે જલ્દી ને જલ્દી આ કેસ નો ફેંસલો સંભળાવવા માં આવે કારણ કે મારા ક્લાયન્ટ ને બહાર ચાલી રહેલા આ ભયંકર તુફાન માં ફસાયેલા લોકો ને બચાવવા માટે જવાનું છે.કરણ બોલ્યો
સીધું સીધું કહો ને કે તે લોકો ભાગવા માંગે છે.પરંતુ તે ગમે ત્યાં જશે તેની સાથે આજ થશે કારણ કે આ બધું થયું જ છે તેના કારણે.મેં કરણ ને કીધું.
કેમ તેના કારણે??કરણ બોલ્યો
તે દિવસે જો સીધી રીતે આ અંબિકા બહેન અને અમિત ભગવાન ને ચેલેન્જ આપવાને બદલે તેની વાત માની લીધી હોત તો આજે આ દિવસ જોવા નો સમય જ ના આવ્યો હોત.અને આ હવે માત્ર કેસ કોર્ટ નથી રહ્યો પરંતુ આ હવે બની ગયું છે Wor between GOD and Politics .મેં કરણ ને કીધું
તો હવે તેનું સોલ્યુશન શું છે??કરણ બોલ્યો
જો અંબિકા બહેન અને અમિતભાઈ આ પૃથ્વી ને બેલેન્સ કરવાની વાત માની લે તો આ બધું જ અટકી શકે છે.મેં કરણ ને કીધું
તમે લોકો કૃષ્ણ વાસુદેવ ની વાત માનો અને તેની માફી માંગો.જજ સાહેબે તેનો ફેંસલો સંભળાવી દીધો
અમે લોકો આ બધું અટકાવવા માટે ગમે તે કરવા માટે તૈયાર છીએ.બોલાવો તમારા ક્લાયન્ટ ને અહીં અદાલાત માં.અંબિકા બહેન બોલ્યા.
થોડા જ સમય માં કૃષ્ણ ત્યાં આવે છે..
તો તમે લોકો મારી વાત માનવા માટે તૈયાર છો??કૃષ્ણ એ પૂછ્યું
હાં અમે આ પૃથ્વી ને બેલેન્સ કરીશું અને હવે આગળ થી ક્યારેય પણ કોઈ પણ સંજોગો માં કોઈ પૃથ્વી ને નુકશાન થાય તેવું કઈ પણ નહિ કરીએ.તે બંને એક સાથે બોલ્યા
ઓકે.પરંતુ એક વાર વિનાશ શરુ થઇ ગયા પછી તેને અટકાવવો શક્ય નથી.કૃષ્ણ ભગવાન બોલ્યા
પરંતુ તમે તો ભગવાન છો તો પછી કેમ આ શક્ય નથી.કરણ બોલ્યો
જો આ વિનાશ અટકાવવો હોય તો મારે આના બદલા માં કોઈ બીજી વસ્તુ નો નાશ કરવો પડે તો જ આ અટકાવી શકાય.કૃષ્ણ બોલ્યા
હવે આના બદલામાં શું નાશ કરીશું??.મેં કૃષ્ણ તરફ જોઇને કહ્યું
હું આ વિનાશ અટકાવવા ના બદલામાં માનવસર્જિત તમામ વસ્તુ ઓ નો વિનાશ કરીશ.કૃષ્ણ બોલ્યા
એટલે?જજ સાહેબ બોલ્યા
એટલે કે તેવી તમામ વસ્તુ કે જેનું નિર્માણ મેં નથી કર્યું પરંતુ તમે લોકો એ તમારા ફાયદા માટે કર્યું છે જેમ કે મોબાઈલ,વાહનો,શીપ,પ્લેન,તમામ ફેક્ટરી ઓ વગેરે…વગેરે..કૃષ્ણ ભગવાન બોલ્યા..અને અચાનક જ ગાયબ થઇ ગયા.
***
શું મિત્રો તમે આવી દુનિયા માં રહી શકશો?જો તમારો જવાબ ના હોય તો આજ થી જ આપણી આ પૃથ્વી ને બેલેન્સ કરવાનું ચાલુ કરીદો.
THE END